નવી દિલ્હી: મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ 24 માર્ચના રોજ મધરાતથી દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન લાગુ કર્યું હતું. કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ કહ્યું કે લોકડાઉનને 21 દિવસ બાદ આગળ વધારવાની હાલ કોઈ યોજના નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: તો શું ભારતમાં થશે 49 દિવસનું લોકડાઉન? ખાસ વાંચો અહેવાલ


નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચે જાહેરાત કરી હતી કે આજ મધરાતે 12 વાગ્યાથી દેશમાં 21 દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના વાયરસની સાઈકલ તોડવા માટે આ 21 દિવસનું લોકડાઉન જરૂરી છે. જો આ 21 દિવસ સાચવીને ન રહ્યાં તો અનેક પરિવારો તબાહ થઈ જશે. 


દિલ્હી: કોરોના દર્દીના સંપર્કમાં આવેલા RML હોસ્પિટલના 6 ડૉક્ટર અને 4 નર્સને quarantine કરાયા


તેમણે કહ્યું હતું કે આ લોકડાઉનને કર્ફ્યૂની જેમ જ સમજો. પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે હિન્દુસ્તાનને બચાવવા માટે, દરેક નાગરિકને બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે ઘરોમાંથી બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. દેશના દરેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ, ગલી મહોલ્લાને લોકડાઉન કરવામાં આવી રહ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...